કેનેડાએ ભારત-પાકિસ્તાનથી આવનારી ફ્લાઈટ પર મુક્યો પ્રતિબંધ, કેટલાં દિવસ સુધી રહેશે બંધ?

કોરોના વાયરસના વધતા જતા કેસ વચ્ચે કેનેડાએ ભારત અને પાકિસ્તાનથી આવતી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. કેનેડિયન વહીવટીતંત્રે ભારત અને પાકિસ્તાનથી આવતા મુસાફરોને 30 દિવસ માટે પ્રતિબંધ મૂક્યો છે. આ બંને દેશોથી આવતા મુસાફરોમાં કોવિડની પુષ્ટિ થઈ છે અને તેમની સંખ્યા વધારે છે.
પરિવહન પ્રધાન ઓમર અલખબરાએ માહિતી આપી હતી કે ભારત અને પાકિસ્તાનથી હવાઈ મુસાફરી કરનારા મુસાફરોમાં કોવિડ -19 ની પુષ્ટિ થઈ છે. તેથી મેં આગામી 30 દિવસ માટે ભારત અને પાકિસ્તાનથી આવતા મુસાફરો બધી વ્યવસાયિક અને ખાનગી પેસેન્જર ફ્લાઇટ્સ રદ કરવાનો નિર્ણય કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *