જૂની ત્રણ માળની બિલ્ડીંગમાં લાગી આગ, આગમાં 4 લોકોનો હસતો – રમતો પરિવાર ભૂંજાયો

દિલ્હીના ઓલ્ડ સીમાપુરીમાં ભીષણ આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટનામાં 4 લોકોના મોત થયા છે. આગ કેવી રીતે લાગી તે હજુ સુધી જાણવા મળ્યું નથી. આગ લાગ્યા બાદ ફાયર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી છે અને રાહત કાર્યમાં જોડાઈ ગઈ છે. પોલીસ મુજબ ચારો મૃતકો એક પરિવારના હતા. આગ બિલ્ડીંગના ત્રીજા માળે લાગી હતી. હજુ આ લાગવાનું કારણ જાણવા મળી શક્યું નથી. દીલ્લી પોલીએ અજાણ્યા વિરુદ્ધ કેસ નોંધાવાનું શરુ કરી દીધું છે.પોલીસ મુજબ, બિલ્ડીંગના ત્રીજા માળે હોરીલાલનો પરિવાર રહેતો હતો. શાસ્ત્રી ભવનના પટાવાળા હિરાલાલને માર્ચ ૨૦૨૨ માં નિવૃત થવાનું હતું. તેમની પત્ની રીના એમસીડીમાં સફાઈ કામદાર તરીકે કામ કરતી હતી. પુત્ર આશુ બેરોજગાર હતો જયારે પુત્રી રોહિણી હજુ નજીકની સરકારી શાળામાંથી ૧૨ માં અભ્યાસ કરતી હતી. અકસ્માતમાં ચારેય લોકોના મોત થયા હતા. મૃતદેહોને જીટીબી હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *