કોમર્સમાં બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓને હવે એડમિશન નહીં મળવાનો ભય

ગુજરાત યુનિવર્સિટીમાં કોમર્સમાં બે રાઉન્ડ પુરા થયા છે પરંતુ જે વિદ્યાર્થીઓને પહેલાં કે બીજા રાઉન્ડમાં પસંદગી સિવાયની કોલેજમાં એડમિશન મળ્યું છે તેને તેમણે કેન્સલ કરાવ્યું નથી . તેના કારણે 22મીએ જાહેર થનારા ઈન્ટર – સે મેરિટથી થનારા પ્રવેશમાં આ વિદ્યાર્થીઓ પણ આવે તેવી શક્યતા છે . તેના કારણે બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓને એડમિશન મળવાના ચાન્સ ઓછા થશે . બીજી તરફ વિદ્યાર્થીઓની કૂદાકૂદના કારણે પ્રવેશ પ્રક્રિયા અંતહિન બની જવાનો ભય સર્જાયો. હાલમાં કોલેજો પર વિદ્યાર્થીઓ એડમિશન કેન્સલ કરાવવા આવી રહ્યાં છે . તેના કારણે કોલેજ સંચાલકોમાં પણ આૃર્ય ફેલાયું છે . સંચાલકોએ કે વિદ્યાર્થીઓએ દસ કોલેજમાં ફોર્મ ભર્યા હતા . તેમાંથી તેને પસંદગીની કોલેજમાં એડમિશન મળવા ઉપરાંત અન્ય ચોઈસ ભરેલી કોલેજમાં પણ મળ્યું હશે . પરંતુ વિદ્યાર્થી તેને કેન્સલ કરાવતો નથી . તેના કારણે આવી કોલેજમાં સીટ ખાલી નહીં હોવાનું દર્શાવે તે સ્વભાવિક છે . કેમકે વિદ્યાર્થીએ ફી તો એક જ કોલેજમાં ભરી અને હવે ઈન્ટર – સે મેરિટમાં કોલેજો 22મીએ લિસ્ટ મૂકશે ત્યારે કોલેજ પાસે આગળના રાઉન્ડથી ખેંચાતી આવતી સીટ ભરેલી જ બતાવશે . જે એક પછી એક રાઉન્ડમાં ખેંચાતી જ આવે છે . વાસ્તવમાં આ સીટ પર વિદ્યાર્થીએ એડમિશન જ લીધુ નથી . તેના કારણે ઘણા વિદ્યાર્થીઓ કે જેમને એડમિશન મળી ચૂક્યું છે તે છેલ્લા રાઉન્ડમાં પણ આવવા પ્રયાસ કરશે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *