કરન મેહરા એક્ટરને ઘરેલૂ હિંસા મામલે મળ્યા આગોતરાં જામીન

ટેલીવિઝનનાં જાણીતા એક્ટર કરન મેહરા (Karan Mehra) ગત કેટલાંક સમયથી સતત તેની પત્ની નિશા રાવલની સાથે થયેલાં ઝઘડાને કારણે ચર્ચામાં રહ્યો છે. તે આ વર્ષે જૂન મહિનામાં નિશા રાવલ (Nisha Rawal)ને કારણની ઉપર ઘરેલું હિંસાનો કેસ દાખલ કરાવ્યો હતો. આ બાદ કરન મેહારએ થોડા કાલોક માટે જેલ પણ જવું પડ્યું હતું. જોકે, તેને તુરંત જ જામીન મળી ગયા હતાં. તેણે તેની પત્ની નિશા રાવલ પર જુઠ્ઠો કેસ કરવાનોઆરોપ લગાવ્યો હતો.

હવે કરન મેહરાને આ મામલે વધુ એક રાહત મળી ગઇ છે. એક્ટર કરન મેહરાને ઘરેલૂ હિંસા કેસમાં મુંબઇ હાઇકોર્ટ (Mumbai Highcourt) થી કથિત રૂપથી નિશા રાવલનાં જુઠ્ઠા આરોપોથી બચવાં અંગે તેણે ધરપકડથી બચવા માટે તેનાં અને પરિવાર માટે આગોતરા જામીન (Anticipatory Bail) મળી ગઇ છે. નિશાએ માંગ્યું ઝીરો ગુજરાન ભત્થુ- ઘરેલૂ હિંસાનાં કેસ ઉપરાંત કરન અને નિશા તેમનાં દીકરાની કસ્ટડી માટે કોર્ટમાં આમને સામને છે. પહેલાં એક ઇન્ટરવ્યૂમાં નિશા રાવલે ખુલાસો કર્યો હતો કે, તેણે કરન મેહરાને એક નોટિસ બજાવી છે જેમાં તેણે ગુજરાન ભત્થા પેટે એકપણ રૂપિયાની માણકી કરી નથી તેણે માત્ર તેનાં દીકરાની સંપૂર્ણ કસ્ટડી તેને આપવામાં આવે તેમ જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *