ગણેશ વિસર્જનના બંદોબસ્તમાં આવેલા હોમગાર્ડ જવાનનું હાર્ટ એટેકથી મોત

અરવલ્લી જિલ્લામાંથી 5 દિવસ માટે વડોદરા આવેલા હોમગાર્ડ જવાનનું હાર્ટ એટેકથી મોત થયું હતું. જેને પગલે સાથી કર્મચારીઓ અને પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
હોમગાર્ડ જવાન 4 દિવસથી ડ્યુટી પર હતા

અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતા અરવિંદભાઇ પરમાર ગણપતિ બંદોબસ્તમાં છેલ્લા 4 દિવસથી વડોદરા આવ્યા હતા. શનિવારે રાત્રે ડ્યુટી કરીને પરત ફર્યા હતા અને સવારે તેઓ ડ્યુટી પર જવા માટે તૈયાર થઇ રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ તેઓને લોહીની ઉલ્ટીઓ થવા લાગી હતી અને બીપી ડાઉન થઇ ગયું હતું. જેથી તેઓને સારવાર માટા સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જોકે રસ્તામાં હોમગાર્ડ જવાનનું મૃત્યું થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *