અમદાવાદ શહેરમાં ફાયરિંગ કરી આતંક મચાવનાર ગૌરવ ચૌહાણ ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો

અમદાવાદ શહેરના બાપુનગર, ઓઢવ, અમરાઈવાડી, રામોલ અને વટવા સહિતના આસપાસના વિસ્તારમાં આતંક મચાવનાર ગેંગ સામે બાપુનગર પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે પાંચ જેટલા આરોપીઓ સામે ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી છે. બાકીના આરોપીઓ અલગ અલગ ગુનામાં જેલમાં જ બંધ છે. આરોપીઓ સામે છેલ્લા 10 વર્ષમાં અલગ અલગ ગંભીર પ્રકારના ગુના જેવા કે હત્યા, હત્યાની કોશિશ મુજબ નોંધાયેલા છે.

ઝોન 5 DCP અચલ ત્યાગીએ વાતચીતમાં જણાવ્યું હતું કે ગૌરવ ચૌહાણ નામનો મુખ્ય સૂત્રધાર આ ગેંગ ચલાવતો હતો. જેની સામે 22 જેટલા ગુના નોંધાયેલા છે. પાંચ લોકો આ ગેંગમાં સામેલ છે જેમાં ગૌરવ સહિત ચાર લોકો જેલમાં બંધ છે જ્યારે એક આરોપી સંજય ભદોરીયાની બાપુનગર પોલીસે આ ગુનામાં ધરપકડ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *