નિઝામપુરા વિસ્તારમાં સ્કૂટર સવાર ફતેગંજ સર્કલ નજીક રિક્ષાને ટક્કર મારતાં રિક્ષાચાલકનું મોત

વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં રહેતા સ્કૂટર સવાર આધેડને ફતેગંજ સર્કલ નજીક રિક્ષાએ ટક્કર મારતાં તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર શહેરના નિઝામપુરા કમલકુંજ સોસાયટીમાં 53 વર્ષના પરેશભાઈ પટેલ રહેતા હતા. સોમવારે સવારે તેઓ ફતેગંજ સર્કલ નજીકથી સ્કૂટર લઈને પસાર થઈ રહ્યા હતા. તે સમયે પુરઝડપે આવેલી એક રિક્ષાએ તેઓના સ્કૂટરને ટક્કર મારી હતી.

જેના પગલે તેમને ગંભીર ઇજાઓ થઇ હતી. બનાવના પગલે ઘટનાસ્થળે લોકોનાં ટોળાં જામ્યાં હતાં. દરમિયાન તેઓને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર માટે એલેમ્બિક રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મોડી રાતે તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે ફતેગંજ પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *