રસોડામાં સેનિટાઈઝરનો ઉપયોગ ખતરાજનક

કોરોના સામે લડવા માટે સોશિયલ ડિસ્ટેન્સિંગ, માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ મહત્વનો બની રહ્યો છે. ત્યારે લોકો સેનિટાઈઝરનો ઉપયોગ વધારે કરી રહ્યા છે. પરંતુ અમદાવાદના કૃષ્ણનગરમાં રહેતાં એક મહિલાને રસોડામાં સેનિટાઈઝરનો ઉપયોગ કરવો ભારે પડ્યો છે. સેનિટાઈઝરની બોટલ ગેસ ઉપર પડતા ભડકો થયો હતો. જેથી મહિલા આગની ઝપેટમાં આવી ગઈ હતી. અને દાઝી જતાં તેનું મોત થયું હતું. આ અંગે કૃષ્ણનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *