‘પતિએ સેક્સ માટે લગ્નનું નાટક કર્યું’, ડોક્ટરની પત્નીએ સાથળ પર લખ્યું અને તે પછી શું થયું?

અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં ડોક્ટરની પત્નીએ પોતાના ઘરના જ આંગણામાં ઝેરી દવા પીને આપઘાત કરી લેતા હાહાકાર મચી ગયો છે.અને  યુવતીએ આપઘાત પહેલા પોતાના ડાબા પગના સાથળ પર લખ્યું છે કે, ડોક્ટર પતિએ સેક્સ માટે લગ્નનુ નાટક કર્યુ,જ્યારે ઇચ્છા પૂરી થતા મને કાઢી મૂકી. મારા મરવાનું કારણ પોતાનો પતિ જ હોવાનું સૂસાઇડ નોટમાં લખ્યું હતું.

અને આ અંગે મળતી વાત એવી છે કે, ઘાટલોડિયામાં રહેતા અને ઓર્થોપેડિક હોસ્પિટલ ધરાવતા ડોક્ટર સાથે ગયા વર્ષના ઓગસ્ટ મહિનામાં મેરેજ બ્યુરો થકી લગ્ન થયા હતા.અને યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવી છે કે, લગ્ન પછી તેની સાસરીવાળા દહેજને લઈને તેમની દીકરીને પરેશાન કરતા હતા, તેમજ પતિ પણ માતા-પિતાનો પક્ષ લઈ માર-ઝૂડ કરતો હતો, આ જ કારણે દીકરીએ કંટાળીને આપઘાત કર્યો છે.

તેમના પિતાની ફરિયાદ એ છે કે,તેના સાસુ-સસરા નાની-નાની બાબતે દીકરીને પરેશાન કરતા હોવાથી ગયા ૪ ફેબ્રુઆરીએ તે પતિને મળવા હોસ્પિટલ ગઈ હતી, અને એના પતિએ તેની સાથે માર-ઝૂડ કરીને હોસ્પિટલમાંથી કાઢી મૂકી હતી. આ પછી તેમની દીકરી માનસિક તણાવમાં જ રહેતી હતી.અને કોઈની સાથે વાત પણ કરતી નહોતી.અને થોડા દિવસ પહેલા દીકરીએ તેના પતિનો જન્મ દિવસ ધાબા પર ઉજવ્યો હતો. તેથી તેના સાસુ-સસરા નારાજ થયા હતા.

આવા અવારનવાર શારીરિક સબંધ બાંધ્યા બાદ મહિલાને કાઢી મુકી હોવાનો ફરિયાદમાં કહ્યું હતું. અને ઘાટલોડિયા પોલીસ મથકે ડોક્ટર હિતેન્દ્ર અને તેના માતા પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. આ યુવતીના પિતાએ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *