દાહોદમાં પતિ-પત્ની સહિત 3 દીકરીએ ઝેરી દવા પી સામૂહિક આત્મહત્યા કરી

દાહોદમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ આત્મહત્ય કરી લેતા હોબાળો મચી ગયો છે. આ પરિવારે આતમહત્યા પહેલા કોઈ સ્યુસાઈડ નોટ લખી છે કે નહીં તેની દાહોદ પોલીસ શોધખોળ કરી રહી છે.

આ ઘટનાની મળતી માહિતી મુજબ, દાહોદના ગોધરા રોડ પર આવેલા સુઝઈ બાગમાં રહેતા પરિવારના 5 સભ્યો પતિ, પત્ની સહિત ત્રણ દીકરીઓએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. આ પહેલા પરિવારના એક ભાઈએ પણ થોડા સમય પહેલા જ ઝેર ખાઈ કરી આત્મહત્યા કરી હતી. દાહોદ પોલીસે મૃતકોના મોબાઈલ ફોનમાં આવેલા ફોન અને મેસેજને લઈને પણ તપાસ હાથ ધરી છે. તે ઉપરાંત પરીવારના સબંધી, પડોશી અને મિત્રોને પુછપરછ કરીને આત્મહત્યાનું કારણ શોધવા તપાસ હાથ ધરી છે.

પરિવાર ના આ 5 સભ્યોનું આત્મહત્યા કરવા પાછળનું કારણ હજુ સામે આવ્યું નથી. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આર્થિક સંકડામણને લીધે આ પરીવારે સામૂહીક આત્મહત્યા કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *