CBI સુશાંતના અને દિશાના મોતના કનેક્શનની કરશે તપાસ, દિશા સાલિયાનની કંપનીના કર્મચારી બંટી સજદેહની કરશે પૂછપરછ

બૉલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની મોતનો કેસ CBI ના હાથમાં આવતા રોજેરોજ કેસમાં નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. CBI સુશાંતના મોત અને દિશા સાલિયાનના મોતના કનેક્શનની તપાસ કરી રહી છે.આ કેસમાં સુશાંત કેસ અને દિશા સાલિયાનના કેસમાં કોઈ કનેક્શન છે કે નહીં તેમ તપાસ કરવામાં આવી રહી છે. CBI તેના માટે દિશા સાલિયાનની કંપનીના કર્મચારી બંટી સજદેહની પૂછપરછ કરશે.

આજે સતત ત્રીજા દિવસે પણ CBI રિયાના પિતા ઈઁદ્રજીત ચક્રવર્તીની પૂછપરછ કરી રહી છે. જો કે રિયા ચક્રવર્તીની માતાની પૂછપરછ કરવામાં નહીં આવે. રિયાના પિતાની સાથે તેના ભાઈ શોવિકની પણ તપાસ એજન્સીઓ સખત તપાસ કરી રહી છે. આજે ED દ્વારા શોવિક ચક્રવર્તીની પણ પૂછપરછ કરવામાં આવશે. રિયાની સાથે ચેટમાં નામ આવવાથી ઘેરાયેલા બિલિયર્ડ્સ ખિલાડી રિષભ ઠક્કરની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *