સુશાંત સિંહ રાજપૂતના પિતાએ કર્યો મહત્વનો ખુલાસો

સુશાંતસિંહ રાજપૂત કેસને લઈને રોજ રોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. સુશાંત કેસમાં સુશાંતના પિતા કે.કે.સિંહે રિયા ચક્રવર્તી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં તેમણે રિયા ચક્રવતી ઉપર કેટલાક ગંભીર આરોપ લગાવ્યા હતા. મળેલ માહિતી અનુસાર, સુશાંતના પિતા કે.કે.સિંહે પોલિસને આપેલા નિવેદનમાં કહ્યું કે સુશાંતનું મોત આત્મહત્યા હોય શકે છે.

બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પિતા કે.કે.સિંહ નો થોડાક દિવસ પહેલા એક વીડિયો વાયરલ થયો હતો. આ વિડીયોમાં તેમણે રિયાની ધરપકડની માગ કરી હતી. તે ઉપરાંત હવે એક ખાનગી ચેનલના અહેવાલ અનુસાર કે.કે.સિંહે પોલીસને આપેલા બયાનમાં કંઈ અલગ જ કહ્યું છે. કે કે સિંહે નિવેદન આપતા કહ્યું કે હું નથી જાણતો કે મારા દિકરાએ આત્મહત્યા શું કામ કરી. તેણે ક્યારેય કોઈપણ જાતના તણાવ કે ડ્રિપેશન વિશે કોઈ વાત નથી કરી. મને સુશાંતના મોતને લઈને કોઈથી ફરિયાદ નથી. ના કોઈ શંકા છે. મને લાગે છે કે સુશાંતે ઉદાસીના કારણે આત્મહત્યા કરી હશે.
સુશાંત ના પિતા કે કે સિંહે જણાવ્યુ હતું કે ગયા વર્ષે 13 મેના રોજ મુંડન કાર્યક્રમમાં સામેલ થવા સુશાંત પટના આવ્યો હતો ત્યારે હું તેને મળ્યો હતો. તે 16 મેના રોજ મુંબઈ પરત પરત ફર્યો હતો. હું સુશાંત સાથે વ્હોટ્સએપ પર વાત કરતો રહેતો હતો. હું તેને વધારે કોલ કરતો નહોતો. કારણ કે તે વ્યસ્ત રહેતો હતો. કે કે સિંહે વધુમાં જણાવ્યું કે 14 જૂન 2020ના રોજ તેમણે ટીવીમાં સમાચાર દ્વારા ખબર પડી કે સુશાંતે પોતાના ફ્લેટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. આ સાંભળીને તેને ચક્કર આવ્યા અને તે બેભાન થઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *