હવે સરકારી કર્મચારીઓ સામે થશે કડક કાર્યવાહી, કામ ના કરતા અને નબળી કામગીરી કરતાં કર્માચારીઓને ફરજીયાત નિવૃત્તિ કરાશે

કેન્દ્ર સરકારે સરકારી કામમાં ભ્રષ્ટાચાર અને કામચોરી અટકાવવા માટે કડક નિર્ણય લીધો છે. સરકારી નોકરીમાં જે લોકો 50 વર્ષની ઉમરના અથવા જે લોકો 30 વર્ષથી નોકરીમાં છે તેવા કર્મચારીઓની કામગીરી નબળી જણાશે તો જનહિતમાં તેમને ફરજીયાત નિવૃત્ત કરી દેવામાં આવશે. આ સંદર્ભમાં કર્મચારી મંત્રાલય અને પબ્લિક ગ્રિવન્સિસ એન્ડ પેન્શન્સ દ્વારા 28 ઓગસ્ટે વિગતવાર ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. અને કેન્દ્ર સરકારના દરેક મંત્રાલય અને વિભાગોને તાત્કાલિક અસરથી તેનો કડક અમલ કરવા માટે કહેવામાં આવ્યું છે.

જાહેર કરાયેલ ગાઈડલાઈન્સ મુજબ જે સરકારી કર્મચારીઓની ઉંમર 50 વર્ષની છે અને જે અધિકારીઓ 30 વર્ષથી નોકરીમાં છે તેમની કામગીરીની નોંધ કરવાની રહેશે. આ નોંધની સમિક્ષા કરવા માટે વિભાગોમાં એક ખાસ કમિટી બનાવવા કહેવામાં આવ્યું છે. આ કમિટી દર ત્રણ મહિને રેકોર્ડની સમિક્ષા કરશે અને જો અધિકારીનું પ્રદર્શન નબળું જણાશે તો તેમને સમય પહેલા જ નિવૃત્ત કરી દેવામાં આવશે.

ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ (કર્મચારી અને તાલીમ વિભાગ) ના આવેદનપત્રમાં જણાવાયું છે કે ફંડામેન્ટલ રાઇટ્સ (મૂળભૂત અધિકાર) 56(J), 56(L) અથવા પેંશનના નિયમો 48 (1) (b) હેઠળ જનહિતમાં જરૂર પડે તો સરકાર કોઈપણ કર્મચારી કે અધિકારીને નિવૃત્ત કરવાનો અધિકાર ધરાવે છે. સિનિયર અધિકારીઓ દ્વારા જે તે કર્મચારી અને અધિકારીઓની કામગીરી ચકાસવામાં આવશે. જો કામગીરી નબળી દેખાશે તો સરકાર સમિક્ષાના આધારે તેને ફરજીયાત નિવૃત્ત કરશે.

ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ (DoPT) ના આવેદનપત્ર અનુસાર સરકાર માને છે કે, કોઈપણ કર્મચારી કે અધિકારીને સામાન્ય રીતે બિનઅસરકારકતાના આધારે નિવૃત્ત થવું જોઈએ નહીં આથી સતત નબળો દેખાવ કરતા કર્મચારીને જ નિવૃત્ત કરવા અંગે વિચારવામાં આવશે. આના માટે એક વર્ષ તેનો પરફોર્મન્સ રેકોર્ડ ચકાસવામાં આવશે. જોકે, સરકારી કર્મચારીની યોગ્યતા, કાર્યક્ષમતા અથવા અસરકારકતામાં અચાનક અને તીવ્ર ઘટાડો થયો હોય તેવા કિસ્સામાં કાયમી નિવૃત્તિ માટે પણ આવા કેસની સમિક્ષાના દરવાજા ખુલ્લા રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *