વૃદ્ધાશ્રમના 100 વડિલોને ફ્રિમાં કરાવવામાં આવી રોપવે ની સફર

ગિરનાર રોપ વેને 24 ઓકટોબર 2021ના એક વર્ષ પૂર્ણ થતા અનોખી રીતે ઉજવણી કરાઇ હતી.આ તકે વૃદ્ધાશ્રમના 100 વડિલોને ફ્રિમાં રોપ વેની સફર કરાવાઇ હતી. કાર્યક્રમમાં ઉષાબ્રેકો કંપનીના રિજીયોનલ હેડ દિપક કપલીસ, રેસીડેન્ટ મેનેજર જી.એમ પટેલ, સાંસદ રાજેશ ચુડાસમા વગેરેની ઉપસ્થિતી રહી હતી.

રાજેશભાઇ ચુડાસમાએ કહ્યું હતું કે, લોકો વર્ષો સુધી યાદ કરે તેવું ગિરનાર રોપ વેનું કામ સત્વરે શરૂ કરાવી મારા લોક પ્રતિનિધીના સમયગાળમાં પુરૂં કરી અને રોપ વે ચાલુ કરવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. દિપક કપલીસે જણાવ્યું હતું કે 365 દિવસમાં માત્ર 250 દિવસ રોપ વે ચાલ્યો જેમાં 6.60 લાખ લોકોએ રોપ વેની મજામાણી છે. તેમણે વિવિધ સ્કિમનો લાભ લેવા જનતાને અનુરોધ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *