આણંદ પાસે અકસ્માતનાં બનાવમાં સંતરામપુરનાં ચાર યુવાનોનાં મોત થયાં

મહિસાગર જિલ્લાના સંતરામપુરના છ યુવાનો કાર મારફ્તે આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના મલાતજ ગામે આવેલ મેલડી માતાના મંદિરે દર્શન માટે જતા હતા , ત્યારે ગત મધ્યરાત્રિ બાદ અકસ્માત સર્જાયો હતો . જેમાં સંતરામપુરના ચાર યુવાનોના મોત નિપજ્યા હતા બે યુવાનો ગંભીર રીતે ઘવાતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા નડિયાદ મહુધા રોડ પર મંગળપુર પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત કાર અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કાર ત્રણ પલટી મારી ગઇ હતી . કારમાં સવાર છ મુસાફ્રો ગંભીર રૂપે ઘાયલ થતા એક વ્યક્તિ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું છે . એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે . જયારે અન્ય બે વ્યક્તિઓ નું સારવાર દરમિયાન મોત નિપજયા મહીસાગર જિલ્લાનાના સંતરામપુરથી આણંદ જિલ્લાના મલાતજ ગામ મેલડી માતાજીના દર્શન કરવા જઈ રહ્યા હતા . ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા . અકસ્માતની જાણ થતાં ૧૦૮ની બે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી . મધ્યરાત્રિ બાદ સંતરામપુર ખાતે અકસ્માત ઘટનાની જાણ મળતા યુવાનોના પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા . મહુધા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *