ભારે વરસાદને પગલે ઉત્તરાખંડમાં 47નાં અને કેરળમાં 27નાં મૃત્યુ

દેશનાં ઘણાં રાજ્યોમાં સતત વરસાદને પગલે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ઉત્તરાખંડ અને કેરળમાં ભારે વરસાદને પગલે આવેલા પૂરે ખૂબ જ વિનાશ નોતર્યો છે. ઉત્તરાખંડમાં મંગળવારે પૂર અને ભારે વરસાદના કારણે બનેલી વિવિધ ઘટનાઓમાં 42 લોકોના મૃત્યુ થયા છે. મોટાભાગના મૃત્યુ વાદળ ફાટવા અને લેન્ડસ્લાઈડના કારણે થયા છે. ઘણા લોકો હાલ પણ કાટમાળ હેઠળ દબાયેલા છે. વારસાદથી અત્યાર સુધીમાં રાજ્યમાં 47 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ચારધામ યાત્રીઓને અપીલ કરી છે કે તે જ્યાં છે, ત્યાં જ રહે. હવામાનમાં સુધારો થતા પહેલા પોતાની યાત્રા ફરીથી શરૂ ન કરે.અલ્મોડામાં મકાન પડવાથી 3 બાળકોના મૃત્યુ.અલ્મોડામાં લેન્ડસ્લાઈડથી મકાન પડવાના કારણે 3 બાળકોના મૃત્યુ થયા છે. એક મહિલાનું ઘાયલ થવા અને એક વ્યક્તિના ગુમ થવાના સમાચાર છે. જિલ્લાના ઘણા વિસ્તારોનો બાકીના વિસ્તારો સાથેનો સંપર્ક કપાઈ ચૂક્યો છે. કાટમાળના કારણે જિલ્લાના ઘણા રસ્તા પણ બંધ થઈ ગયા છે. કાટમાળમાં ફસાયેલા લોકોને કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *