ઉત્તરાખંડ પહોંચ્યા અમિત શાહ, હવાઈ નિરિક્ષણ કરશે

શાહના સ્વાગતમાં સીએમ પુષ્કર સિંહ ધામી હાજર હતા અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કરી નુકસાનનું નિરિક્ષણ કરશે અમિત શાહ દુર્ઘટનામાં 7 હજાર કરોડનું નુકસાન એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા માટે સીએમ પુષ્કર સિંહ ધામી હાજર હતા. ઉલ્લેખનીય છે કે ગુરુવારે કેન્દ્રીય ગૃહમંત્રી રાજ્યના અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કરી નુકસાનનું નિરિક્ષણ કરશે. આ બાદ તે જોલીગ્રાન્ટ એરપોર્ટ સ્થિત રાજ્ય અતિથિ ગૃહમાં અધિકારીઓ સાથે બેઠક કરશે. જેમાં સીએમ સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે. આની પહેલા સીએમ પુષ્કર સિંહ ઘામીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને જણાવ્યું કે હોનારતમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં નિરીક્ષણ કર્યા બાદ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રુદ્રપુરમાં પત્રકારોને કહ્યું કે વરસાદથી પ્રદેશના તમામ માર્ગોને અસર પહોંચી છે. લગભગ 7 હજાર કરોડનું નુકસાનનો અંદાજો છે. જે વધીને 10 હજાર કરોડ સુધી પહોચી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *