ગાઝિયાબાદ : 225 ફૂટ ઉપરથી નીચે પડ્યા 14 વર્ષનાં બે બાળકો

ગાઝિયાબાદમાં એક કાળજું કંપાવનારી ઘટના બની છે. અહીંના વિજયનગર વિસ્તારમાં શનિવારે રાત્રે 1.30 વાગ્યે બે જોડિયા ભાઈઓ 25મા માળેથી પડી ગયા હતા. બંને ભાઈઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બંને બાળકો 14 વર્ષના હતા અને 9 માં ધોરણમાં અભ્યાસ કરતાં હતા. તમને જણાવી દઈએ કે બાળકોના પિતા કોઈ કામ માટે મુંબઈ ગયા હતા અને માતા રૂમની અંદર હતી. મધરાત દરમિયાન આ ઘટના બની હતી. પોલીસે બંને બાળકોના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડયા હતા, જો કે તે જાણી શકાયું નથી કે બાળકો આટલી મોડી રાત સુધી બાલ્કનીમાં કેમ રમી રહ્યા હતા? આ બાબતે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. આ ઘટના મધરાતે દોઢ વાગે બની હતી. વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારના સિદ્ધાર્થ વિહારમાં પ્રતિક ગ્રાન્ડ સોસાયટીના 25મા માળે પરલી નારાયણ પત્ની અને બે બાળકો સાથે રહેતો હતો. તે મૂળ ચેન્નઈનો છે. પરલી નારાયણના જોડિયા પુત્રો સૂર્ય નારાયણ અને સત્ય નારાયણ (14) વર્ષના અને ધોરણ 9મા અભ્યાસ કરતા હતા. મધરાત્રે લગભગ દોઢ વાગ્યે બંને જોડિયા ભાઈઓ રૂમમાંથી બહાર આવ્યા. તે સમયે બાળકોની માતા અંદરના રૂમમાં હતી. કહેવામાં આવ્યું હતું કે તેઓ રમતી વખતે બંને બાળકો બાલ્કનીમાંથી નીચે પડી ગયા. પોલીસનું કહેવું છે કે લગભગ 225 ફૂટ ઊંચાઈ પરથી બંને ભાઈઓ નીચે પડ્યા હતા અને તેમના માથામાં ઇજા થઈ હતી. જે જગ્યાએ તેઓ જમીન પર પડ્યા ત્યાં નીચે પાક્કુ તળિયું હતું. જમીન પર લોહીના નિશાન પણ મળ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *