છેલ્લા 24 કલાકમાં 24 ટકાના વધારા સાથે 23,529 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

30 સપ્ટેમ્બર, 2021ના રોજ એટલેકેગુરુવારે ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા કોરોનાના પોઝિટિવ કેસમાં 24.7 ટકાનો વધારો નોંધાયો છે. આજે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 23,000થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 23,529 પોઝિટિવ કેસ નોંધાયા છે.બુધવારના રોજ આ આંકડો 18,870 હતો. આજના આંકડા ઉમેર્યા બાદ હવે દેશમાં કોરોના સંક્રમણના કુલ કેસની સંખ્યા વધીને 33,739,980 થઈ ગઈ છે. છેલ્લા એક દિવસમાં 311 લોકોના મોત થયા છે. મૃત્યુઆંક બુધવાર કરતા ઓછો છે. બુધવારના રોજ જાહેર કરવામાં આવેલા આંકડામાં આ મૃત્યુઆંક તેના છેલ્લા એક દિવસમાં 378 હતો. આ સાથે દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 4,48,062 દર્દીઓના મોત થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *