ઋષિ કપૂરે વાત કરી હતી બાપ-દીકરાના અંગત સબંધોની

રણબીર કપૂર જોધપુરમાં પોતાનો 39મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. કપૂર પરિવારના આ ચિરાગે પોતાના અભિનયના દમ પર એક અલગ ઓળખ બનાવી છે. રણબીરના ખાતામાં ‘બર્ફી’, ‘સંજુ’, ‘રોકસ્ટાર’, ‘યે જવાની હૈ દીવાની’ અને ‘એ દિલ હૈ મુશ્કિલ’ સહિત અનેક હિટ ફિલ્મો છે. ફિલ્મોની સાથે સાથે, રણબીર તેના અંગત જીવન ને લઈ હંમેશા હેડલાઈન્સમાં હોય છે, પછી ભલે તે તેની લવ લાઇફ હોય અથવા પિતા ઋષિ કપૂર સાથેના સબંધો.

ઋષિ કપૂરે એક વખત કહ્યું હતું કે, ‘તે એક સારો પુત્ર છે, તે મારી વાત સાંભળે છે પરંતુ હું તેની કારકિર્દીમાં દખલ કરતો નથી કારણ કે મારી કારકિર્દી મારી છે અને તેની કારકિર્દી તેની છે. હું જાણું છું કે મેં રણબીર સાથેના મારા સંબંધોને બગાડી દીધા જોકે મારી પત્ની મને કહેતી રહી કે હું શું કરી રહ્યો છું. તેને બદલવામાં હવે મોડું થઈ ગયું છે. અમે બંને પરિવર્તન સાથે બદલાય રહ્યા છીએ. તે આ કાચની દીવાલ જેવું છે, આપણે એકબીજાને જોઈ શકીએ છીએ, વાત કરી શકીએ છીએ, બસ. તે હવે અમારી સાથે રહેતો નથી, જે નીતુ અને મારા માટે મોટો ઝટકો છે. અમે એક નવું ઘર બનાવી રહ્યા છીએ જ્યાં તેના અને તેના પરિવાર માટે પુષ્કળ જગ્યા હશે. ત્યાં સુધી, જીવન આ રીતે ચાલશે. ઋષિ કપૂરને 2018માં કેન્સર હોવાનું સામે આવતા બાપ દીકરાના સંબંધોમાં સુધારો થયો. રણબીરએ તરત જ તેને ન્યૂયોર્ક લઈ જવાનો નિર્ણય કર્યો હતો. ઋષિ કપૂરે કહ્યું હતું કે, ‘પ્રતિક્રિયા આપવા માટે સમય કોઈ ન હતો. હું દિલ્હીમાં મારી નવી ફિલ્મનું છઠ્ઠા દિવસનું શૂટિંગ કરી રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *