રાજુ ભટ્ટનું પાવાગઢ મંદિરના સેક્રેટરી પદેથી રાજીનામુ

વડોદરાના બહુ ચર્ચિત હાઈપ્રોફઈલ દુષ્કર્મ કેસના આરોપી રાજુ ભટ્ટે શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢના સેકેટરી પદ પરથી રાજીનામુ આપ્યું છે. આગામી દિવસોમાં આવનાર આસો નવરાત્રી પર્વને લઇ મળેલી મંદિર ટ્રસ્ટની બેઠકમાં રાજીનામાનો સ્વિકાર કરવામાં આવ્યો હતો. જોકે, હાલ રાજુ ભટ્ટને ટ્રસ્ટી પદે યથાવત્ રાખવામાં આવ્યા છે. જે બાબતે ટ્રસ્ટના પ્રમુખ સુરેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુનો સાબિત થશે તો તેમને ટ્રસ્ટી પદેથી પણ દૂર કરાશે. ટ્રસ્ટના પ્રમુખ સુરેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજુ ભટ્ટ પર લાગેલા આરોપો સાબીત થાય ગુનો પુરવાર થશે તો તેમને ટ્રસ્ટી પદેથી પણ હટાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *