ભગવાન જગન્નાથ રથયાત્રાને લઇ પોલીસ એક્શનમાં

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાને લઇ અસમંજસની સ્થિતિ છે અને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેર પોલીસ અને પેરામિલેટ્રી ફોર્સ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે જેમાં સ્થાનિક પોલીસ અને તેમની ટીમે સમગ્ર રૂટ પર પેટ્રોલિંગ કર્યું હતું.

મહત્વનું છે કે, હજુ રથયાત્રા યોજાશે કે કેમ તેની હજુ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ પોલીસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે અને સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતી નજર તેમજ પોલીસ પેટ્રોલિંગ શરૂ કરી દેવાયું છે.

અમદાવાદ ભગવાન જગન્નાથ રથયાત્રા નગરયાત્રાએ નીકળશે કે નહીં તે બાબતે હજી કોઈ પણ પ્રકારની સ્થિતિ સ્પષ્ટ થઈ નથી મંદિર તંત્ર તરફથી રથયાત્રાને લઇ મંજૂરી માંગવામાં આવી છે પણ બીજી બાજુ શહેર પોલીસ દ્વારા હવે તૈયારી કરવામાં આવી રહી છે રથયાત્રા જે રૂટ પર નીકળે છે ત્યાં સંવેદનશીલ વિસ્તાર આઈડેન્ટિફાય કરી સ્થાનિક પોલીસની સાથે આર.એ.એફની ટુકડીઓ ડિપ્લોય કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *