પાદરા-જંબુસર હાઇવે પર બે દંપતી સહિત છનાં થયા મોત

વડોદરાનો પાદરા-જંબુસર હાઇવે મોતનો હાઇવે બન્યો છે. છેલ્લા બે દિવસમાં હાઇવે પર અલગ અલગ ત્રણ અકસ્માતની ઘટનામાં બે દંપતી સહિત છનાં મોત થયાં છે. નવાપુરા ગામ પાસે ટ્રકચાલકે ઓવરટેક કરતાં સમયે પાછળથી બાઈકને ટક્કર મારતાં દંપતીનું ઘટનાસ્થળે મોત થયું હતું.જ્યારે એક ટ્રક પલટી જતાં દંપતીનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત કુરાલ ગામ નજીક બે ટ્રક સામ સામે અથડાતા બંને ટ્રકચાલકનાં મોત નીપજ્યા હતા.મળેલ માહિતી મુજબ પાદરાની દીપ મંગલ સોસાયટીમાં રહેતા રવિ વિનુભાઈ પરમાર તેમજ પત્ની નિરાલીબહેન રવિભાઈ પરમાર પાદરાના ઘરેથી નીકળી જંબુસરના કાવી-કંબોઈ જવા માટે નીકળ્યા હતા.દરમિયાનમાં પાદરા-જંબુસર રોડ પરના નવાપુરાના તુલજા પેટ્રોલપંપ પાસે સામેથી પુરઝડપે અને ગફલતભરી રીતે ટ્રકચાલક હંકારી આગળ જઈ રહેલ રવિ વિનુભાઈ પરમારની મોટરસાઈકલને ઓવરટેક કરતાં સમયે અડફેટે લીધા હતા. ટક્કર વાગતાં બંને રોડ પર નીચે પટકાયા હતા. માથાના ભાગે રવિને તેમજ પત્ની નિરાલીબહેનને પણ ગંભીર ઈજાઓ થવા પામી હતી, જેથી ઘટનાસ્થળે બંનેનાં મોત થયા હતાં. પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી કરી બંનેની લાશને માટે મોકલવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માત કરી ટ્રક મૂકી નાસી ગયેલ ચાલકને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *