અભિનેત્રી પાયલ રોહતગીએ ફલેટની મિટિંગમાં કરી ગાળાગાળી અમદાવાદની સુંદરવન સોસાયટીમાં બનેલી ઘટના

અભિનેત્રી પાયલ રોહતગીએ ફલેટની મિટિંગમાં કરી ગાળાગાળી અમદાવાદની સુંદરવન સોસાયટીમાં બનેલી ઘટના. સોસાયટીના ચેરમેને અભિનેત્રી વિરૂધ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ.

યેનકેન પ્રકારે વિવાદોમાં રહેવા ટેવાયેલી અભિનેત્રી પાયલ રોહતગીને હવે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. અમદાવાદની સુંદરવન સોસાયટીના ચેરમેને અભિનેત્રી વિરૂધ્ધ સોસાયટીની બેઠકમાં આવી ગાળાગાળી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ બાદ પોલીસે અભિનેત્રીની ધરપકડ કરી લીધી છે. અમદાવાદનાં સેટેલાઈટ વિસ્તારમાં આવેલી સુંદરવન સોસાયટીમાં રહેતી અભિનેત્રી પાયલ રોહતગી ફરી એક વાર વિવાદમા આવી છે.

તેની સામે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પરાગ શાહ નામનાં તબીબે આ મામલે નોંધાવેલી ફરિયાદ મુજબ સુંદરવન સોસાયટીમાં પાયલ રોહતગી દોઢ વર્ષથી રહેવા આવી છે.

અમદાવાદની સુંદરવન સોસાયટીમાં બનેલી ઘટના અભિનેત્રી વિરૂધ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ20મી જૂનના રોજ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા બોલાવવામાં આવી હતી.

જેમાં પાયલ રોહતગી સભ્ય ન હોવા છતાં સભામાં આવી પહોંચી હતી. ચેરમેન પરાગ શાહે તેઓના માતાપિતાના નામે ફ્લેટ છે અને તેઓ હાજર છે તેવુ કહીને પાયલને વચ્ચે ન બોલવાની અને તેની કોઈ જરૂર નથી તેવુ કહ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *