ચિરાગ પાસવાન ખુદ પોતાની જ પાર્ટીમાં અસ્તિત્વ શોધી રહ્યા

લોક જનશક્તિ પાર્ટીમાં હજૂ પણ ખેંચતાણ ચાલી રહી છે. ચિરાગ પાસવાન ખુદ પોતાની જ પાર્ટીમાં અસ્તિત્વ શોધી રહ્યા છે. ચિરાગ પાસવાનના કાકા પશુપતિ પારસ જૂથે લોજપા પર કબ્જો કરી લીધો છે. સૌથી અગત્યની વાત તો એ છે આ પાર્ટી ચિરાગના પિતા રામવિલાસ પાસવાને ઊભી કરી હતી.

ત્યારે આવા સમયે ચિરાગે હવે વડાપ્રધાન મોદી પાસે મદદ માગી છે. ગત વર્ષે થયેલી બિહાર વિધાનસભા ચૂંટણીમાં ચિરાગે વડાપ્રધાન મોદીને રામ અને ખુદ પોતાને તેમના હનુમાન ગણાવ્યા હતાં.લોજપાના સાંસદ ચિરાગે જણાવ્યુ હતું કે, હનુમાનનો વધ થઈ રહ્યો હોય અને રામ ચૂપ રહે તે યોગ્ય ન કહેવાય. તેમણે કહ્યુ હતુ કે, સતયુગના સમયથી લઈને આજ સુધી રામાયણમાં જોયુ છે કે, હનુમાનજીના દરેક કામમાં રામે સાથ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *