ભરૂચ -અક્લેશ્વર ટેન્કર ચાલકે બાઈકને અડફેટે લેતાં,એક મહિલાનું મોત

ભરૂચ-અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર મુલદ પાસે આવેલા ટોલ પ્લાઝા નજીક ટેન્કરના ચાલકે બાઈકને અડફેટમાં લેતાં મહિલાનું મોત થયા હતા .જયારે પતિ અને દોઢ વર્ષની બાળકીને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.મળેલ માહિતી મુજબ ભરૂચના નબીપુર ગામે રહેતા સિદ્દીક ભોભાજી પરિવાર માટે આજે ઈદનો દિવસ ગોઝારો સાબિત થયો હતો. તેઓ પોતાની બાઈક લઈને પત્ની આતિકા અને દોઢ વર્ષની પુત્રીને લઈને ઝઘડિયાનાં ભાલોદથી નબીપુર જવા માટે નીકળ્યા હતા. તેઓ મુલદ ચોકડી નજીકથી નેશનલ હાઇવે ઉપરથી પસાર થઇ રહ્યા હતા. દરમ્યાન મુલદ ટોલ પ્લાઝા પાસે પહોંચતાં જ પુરપાટ ઝડપે આવતા ટેન્કર નંબર જીજે-૧૬,એયુ-૧૫૩૭ના ચાલકે સિદ્દીકની બાઈકને અડફેટે લેતાં બાઈક ઉપર સવાર પરિવાર ફંગોળાયો હતો.અકસ્માતમાં પત્ની આતિકાને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નીપજ્યા હતા.જયારે સિદ્દીક ભોભાજી અને તેમની દોઢ વર્ષની પુત્રીને ઈજાઓ પહૉંચતાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ટેન્કર ચાલક અકસ્માત સર્જી ટેન્કર મૂકી સ્થળ ઉપરથી ફરાર થઇ ગયો હતો. અકસ્માતની જાણ અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં કરાતા પોલીસ દોડી આવી ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *