સુરતમાં ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલોને સેફ્ટીના અભાવે સીલ મારવાની કામગીરી

સુરત શહેરમાં ફાયર વિભાગ દ્વારા વિવિધ હોસ્પિટલોને ફાયર સેફ્ટીના અભાવે સીલ મારવાની કામગીરી કરવામાં આવી છે. જોકે, સતત ત્રીજા દિવસે પણ આ કામગીરી થતાં તબીબ આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલ સમગ્ર રાજ્યમાં કોરોના મહામારીની બીજી લહેર ચાલી રહી છે. આ બીજી લહેર વધુ ઘાતક બનતા હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે. તો સાથે જ રાજ્યની કેટલાઈક હોસ્પિટલોમાં આગ લાગવાની પણ દુર્ઘટના સર્જાઈ હતી, ત્યારે આગની ઘટનામાં અનેક દર્દીઓએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. તેવામાં હવે સુરત શહેર આ પ્રમાણે કોઈ મોટી આગની ઘટના ન સર્જાય તે માટે ફાયર વિભાગ સતર્ક થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *