સુરત જિલ્લામાં ઉનાળુ પાક ખેતીને મોટું નુકશાન

તાઉ-તે વાવાઝોડાની અસરના પગલે સુરત જિલ્લામાં ઉનાળુ પાક એવા ડાંગર, શાકભાજી, કેળ અને કેરીની ખેતીને મોટું નુકશાન થવા પામ્યું છે. જેના કારણે ખેડૂતોની મહેનતે તૈયાર થયેલો મહામુલો પાક હાલ લેવાનો મહત્વનો સમય ગાળો હોય, ત્યારે અચાનક આવેલા વાવાઝોડાને લઈને થયેલા ભારે વરસાદથી ખેતરોમાં તૈયાર થયેલ પાક નાશ થવા પામ્યો છે.સુરત જીલ્લામાં ખેતીના પાકોમાં મોટી નુકશાની થવાના ચોકાવનારા આંક સામે આવ્યા છે.

તાઉ-તે વવાઝોડાના કારણે ખેડૂતોના મોમા આવેલો કોળિયો છીનવાય જવા જેવું થયું છે. વાવાઝોડાને લઈને ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે સુરત જિલ્લામાં ઉનાળુ ડાંગર, શાકભાજી, કેળ અને કેરીની ખેતીને વ્યાપક નુકશાન થયું છે. જોકે, મે મહિનો ખેડૂતો માટે ખુબ મહત્વનો સમય ગાળો હોય છે. જેમ મહામહેનતે તૈયાર કરેલ પાક લેવાનો સમય ગાળો હોવાથી ખેડૂત સારો પાક ઉતરવા સાથે ઉંચો ભાવ મળવાની વાત ખુશ હોય છે, ત્યારે ખેતરમાં ડાંગર, શાકભાજી, કેળ અને કેરીનો તૈયાર થયેલા પાક લેવાના સમયે અચાનક આવેલા વાવાઝોડાને લઈને પવન સાથે વરસાદ થવાની હવામાન વિભાગની આગાહીને લઈને ખેડૂતોનો જીવ તાળવે બંધાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *