ભાવનગર શહેરમાં ભાજપ દ્વારા ઉકાળો, વિસામો અને ટિફિન સેવાઓ શરૂ

ભાવનગર શહેરમાં ભાજપ દ્વારા કોરોના મહામારી સામે લડવા માટે ઉકાળો, વિસામો અને ટીફીન સેવાઓ શરૂ કરવામાં આવી છે. જેમાં આજથી ઉકાળો અને વિસામોની શરૂઆત કરવામાં આવી છે. અને ટીફીન સેવા શહેરના 350 થી વધુ ઘરોમાં આપવામાં આવી રહી છે.
જે આજથી 10 દિવસ સુધી રોજ સવારે 7 થી 9 વાગ્યા સુધી 50 સ્થળોએ વિતરણ કરાશે. જે વૈદ્ય મહેન્દ્રસિંહની ફોર્મ્યુલા મુજબના ઉકાળાનું ફ્રી વિતરણ કરે છે. ભાવનગર શહેર ભાજપ દ્વારા સર ટી. હોસ્પિટલ સામે કાર્યાલયે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓના સગા સબંધીઓ માટે વિસામોની વ્યવસ્થા કરવામાં આવી છે. આગામી સમયમાં દર્દીઓના સાગા માટે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
વૈધ મહેન્દ્રસિંહ સરવૈયાની ફોર્મ્યુલા મુજબ ગળો, તુલસી, સૂંઠ જેવી વિવિધ ઔષધીઓ મેળવીને બનાવવામાં આવતો ઉકાળો, કોરોના જેવા રોગો સામે રક્ષણ મેળવવા મદદરૂપ થાય છે. સવારે 7 થી 9 વાગ્યા સુધી આરોગ્યવર્ધક ઉકાળા આપવામાં આવે છે. ભાજપ સંગઠન દ્વારા ટિફિન સેવા પણ શરૂ કરાઇ છે. જેમાં જે લોકો પોતાના ઘરમાં પોઝિટિવ આવ્યા હોય અને ઘરની બહાર નીકળી શકતા નથી તેવા લોકો માટે ભાવનગર શહેરના 13 વોર્ડમાં ટિફિન સેવા પણ શરૂ કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *