સુરતમાં ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે ભક્તો મોટી સંખ્યામાં માતાના મંદિરોમાં ઉમટ્યા, બહારથી જ દર્શન કરી લોકો પરત ફર્યા.

ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે ભક્તો મોટી સંખ્યામાં સુરત શહેરના વિવિધ માતાના મંદિરે દર્શન કરવા માટે ઉમટ્યા હતા. દર્શનાર્થીઓની ભીડ જોતા કેટલાક મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા મંદિરો બંધ કરી દેવાની ફરજ પડી છે. જેથી ભક્તોઓ માતાજીના બહારથી જ દર્શન કરી પરત ફર્યા હતા.
મોટા અંબાજી મંદિર બંધ કરાયું.
ચૈત્રી નવરાત્રિમાં મોટી સંખ્યામાં લોકો વહેલી સવારથી જ માતાના દર્શન કરવા માટે મંદિરોમાં જાય છે. માતાની પૂજા-અર્ચના કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. સુરતમાં માતાજીના ભક્તોનું આસ્થાનું કેન્દ્ર મોટા અંબાજી છે. કોરોના સંક્રમણના ભય વચ્ચે ભક્તોનો ધસારો જોતાં મોટા અંબાજી બંધ કરવામાં આવ્યું હતું. પીપલોદમાં આવેલા અંબિકા નિકેતનમાં નવરાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો પગપાળા દર્શન કરવા પહોંચતા હોય છે. કોરોના સંક્રમણ વધવાની શક્યતાઓથી મંદિરમાં પ્રવેશવા પહેલાં આડસ બાંધી દેવામાં આવી હતી. જેથી લોકો બહારથી જ દર્શન કરી લે અને ઓનલાઇન સ્ક્રીન ઉપર દર્શન કરે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
શહેરના અલગ-અલગ મંદિરોમાં નવરાત્રિને ધ્યાનમાં રાખીને આવતા ભક્તોને અરજી કરવામાં આવી છે લોકોએ સ્વૈચ્છિક રીતે જ ઘરની બહાર ના નીકળવવું જોઈએ જેથી સંક્રમિત થવાથી બચી શકો. અને પરિવારને પણ સુરક્ષિત રાખી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *