પાકિસ્તાન ની નાપાક હરકત ; બોટો સાથે ભારતીય માછીમારોનું અપહરણ

પાકિસ્તાન પોતાના નાપાક ઈરાદા થી હમેશા કઈ ને કઈ હરકત કરતું જ રહે છે.પાકિસ્તાન અવારનવાર ભારતીય જળસીમામાં ઘુસીને માછીમારોના અપહરણ કરે છે તેથી માછીમારો અને તેના પરિવારજનોમાં રોષ વધી રહ્યો છે.તાજેતર માં પાકિસ્તાન મરીન ફોર્સે ભારતીય જળસીમા નજીક પોરબંદરની ૬ બોટો સાથે ૩૫ માછીમારોનું અપહરણ કર્યું છે.અને તમામને કરાચી તરફ લઇ જવામાં આવ્યા છે. હજુ સુધી માછીમારોના નામ અને બોટના નામ જાણી શકાયા નથી. માછીમારોના અપહરણને લઈ માછીમાર સમાજમાં પાકિસ્તાન સામે રોષની લાગણી છવાઇ છે. માછીમારોના અપહરણથી તેમના પરિવારોની હાલત કફોડી બની છે અને તેમણે સરકારને આ સંદર્ભે કોઇ કડક પગલા ભરવાની માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *