મમતા એ આરોપ લગાવતા કહ્યું કે કેન્દ્ર સરકાર અમને કોરોના રસી નથી મોકલવી રહી

મુખ્યમંત્રી મમતા બેનરજી બંગાળના ઝારગ્રામમાં ચૂંટણી સભાને સંબોધિત કરતા જણાવ્યું કે કેન્દ્ર સરકાર તરફ થી બંગાળને કોરોનાની રસી મળી રહી નથી.બિહાર માં ભાજપ ની સત્તા આવ્યા બાદ મોદીએ એ લોકોને કોરોનાની રસીની ખાતરી આપી હતી. મમતા એ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે ભાજપ દેશની સૌથી મોટી દગાબાજી પાર્ટી છેઅને દેશ ને બરબાદ કરી રહી છે. તેમણે કહ્યું કે બંગાળ માં કોરોનાના કેસો વધી રહ્યા છે અને મફત માં રસી પણ નથી મળી રહી. આ પહેલા પણ બાંકુરામાં એક ચૂંટણી રેલીને સંબોધિતા જણાવ્યું હતું કે શું ચૂંટણી પંચને અમિત શાહ ચલાવી રહ્યાં છે? ચૂંટણી પંચે મારા સિક્યુરીટી ડિરેક્ટરને પણ હટાવી દીધા છે. ભાજપ મારી હત્યાનું કાવતરુ કરી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *