વધતાં જતાં કોરોના ના કેસ ને કારણે રાત્રી કરફ્યુ ની મુદત વધવા ની સંભાવના

કોરોના ના કેસ દિનપ્રતીદેન વધી રહ્યા છે.રાજયમા ફરી એકવાર કોરોનાની સ્થિતી ગંભીર બની રહી છે. હવે તો કોરોના ના નવા સ્ટ્રેંઇન ના કેસ પણ ફેલાઈ રહ્યા છે ત્યારે સ્થિતિ ચિંતા જનક બની ગઈ છે. અમદાવાદ વડોદરા રાજકોટ અને સુરત માં રાત્રી કર્ફ્યુની મુદત આજે પુર્ણ થઈ રહી છે. કોરોનાના વધતા કેસને કારણે રાત્રી કર્ફ્યુની મુદત માં વધારો કરવામા આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે..હાલમાં રાત્રિના ૧૨-00 થી સવારના ૬-00 વાગ્યા સુધી કર્ફ્યુ અમલમા છે.આ જાહેરાત આજ સાંજ સુધીમાં કરી દેવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અધ્યક્ષતામાં મળનારી કોર કમિટીની બેઠકમાં આ બાબતે ચર્ચા કરવા માં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *