અરવિંદ કેજરીવાલનો સુરતમાં શરૂ થયેલો રોડ શો

સુરત ખાતેની મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ૨૭ કોર્પોરેટરોના વિજય થયા બાદ પાર્ટીના સંયોજક શ્રીઅરવિંદ કેજરીવાલ આવ્યા છે અને તેમણે જીતેલા ઉમેદવારો સાથે  વરાછા માનગઢ ચોકથી સરથાણા  વચ્ચે સાત કિલોમીટરની રેલી યોજવામાં આવી છે.તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખ  સી આર પાટીલના ગઢમાં આમ આદમી પાર્ટીએ શક્તિ પ્રદર્શન કર્યું છે.   આમ આદમી પાર્ટીની રેલીમાં પણ      ભાજપની જેેેમ સોશિયલ ડિસ્ટન્સ  અને માસ્કના નિયમોનો  ભંગ થતો  જોવા મળ્યો છે અને પાલિકા તંત્ર માસ્ક વિનાના  લોકો  પાસેથી એક હજાર રૂપિયાનો દંડ  ઉઘરાવતુ હતું, પરંતુ આજે રેલીમાં અસંખ્ય  લોકો માસ્ક વગરના હોવા છતાં કોઈ કામગીરી હાથ ધરવામા આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *