AMCની ગાઈડ્લાઇન અનુસાર અમદાવાદમાં જમાલપુર APMC માર્કેટ ફરીથી ચાલુ થશે

અમદાવાદમાં આવેલા જમાલપુર APMC માર્કેટને કોવિડ -19 ગાઇડલાન અનુસાર ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. APMC માર્કેટ એપ્રિલ મહિનામાં કોરોનાનુ સંક્રમણ વધતા બંધ કરવામાં આવ્યું હતુ . પરંતુ તાજેતરની પરિસ્થિતિ અને APMC ની આવેલી લેખિત રજૂઆતોને ધ્યાને લેતા AMC એ જમાલપુર APMC ખોલવા માટે સૂચના અપાઈ છે.

સરદાર પટેલ માર્કેટ યાર્ડમાં કુલ દૈનિક 1/3 પદ્ધતિ એટ્લે કે કુલ 157 પૈકી પ્રથમ દિવસે કુલ 53 , બીજા દિવસે કુલ 53 અને ત્રીજા દિવસે કુલ 51 વેપારીઓને વેપારની પરવાનગી આપવામા આવી છે. ઉપરાંત માર્કેટ યાર્ડના તમામ વેપારીઓ તથા તેમના સ્ટાફને માસ્ક પહેરવો, સેનેટાઇઝર રાખવું  દુકાનમાં પ્રવેશ કરતા વ્યક્તિ પાસે માસ્ક અને સેનિટાઇઝર છે કે નહીં તેની ખાત્રી કરવી. તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું . કોવિડ -19ની તમામ ગાઇડલાઇન ફરજીયાત પણે પાલન કરવાનું રહેશે.

આ ઉપરાંત એપીએમસી માર્કેટમાં શાકભાજી ખરીદ – વેચાણની કામગીરી બપોરના 1 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી અને રાત્રી 8 થી સવારે 8 દરમ્યાન કરવી, પીકઅવર્સના સમયગાળા દરમ્યાન સવારે ૮ થી ૧ અને સાંજે ૫ થી ૮ વાગ્યે માર્કેટ બંધ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *