સુશાંત કેસમાં કૂપર હોસ્પિટલના કર્મચારીએ કર્યો ચોકાવનારો ખુલાસો

સુશાંત સિંહ રાજપૂતના મોતને લગભગ 2 મહિનાથી પણ વધારે સમય થઈ ગયો છે. CBI તપાસ બાદ આ કેસમાં ઘણાંબધા નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. હાલમાં જ સુશાંતના પિતા કે.કે.સિંહે એક વીડિયો વાયરલ કર્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે રિયા ચક્રવર્તીએ જ તેના પુત્રની હત્યા કરી છે.

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી મુંબઇ પોલીસે કહ્યું કે, આ આત્મહત્યાનો કેસ છે. પરંતુ તેના શરીરનું પોસ્ટ મોર્ટમ કરીને હોસ્પિટલથી સ્મશાન ઘાટ સુધી લઈ જનાર કૂપર હોસ્પિટલના આ કર્મચારીનો એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ વ્યક્તિનો દાવો છે કે સુશાંતની હત્યા કરવામાં આવી છે.

સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કૃતિએ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો છે, જેમાં કૂપર હોસ્પિટલનો કર્મચારી એવો દાવો કરી રહ્યો છે કે, સુશાંત સિંહ રાજપૂતની હત્યા કરવામાં આવી છે. શ્વેતાએ એક ટીવીને આપેલા ઇન્ટરવ્યુની ક્લિપ શેર કરી છે, જેમાં તે વ્યક્તિએ સુશાંતના મૃત શરીર વિશે ઘણા ખુલાસા કર્યા છે.આ વીડિયોમાં હોસ્પિટલનો કર્મચારી કહી રહ્યો છે કે- ‘અમને ખબર હતી કે આ હત્યા છે. અને જે નિશાન હતા તે સોયના નિશાન હતા. તે નિશાનો ગળા પર હતા ‘. કર્મચારીએ કહ્યું કે ગળામાં 15 કે 20 નિશાન હતા અને ગળા પર સેલો ટેપ લગાવેલી હતી.

શ્વેતા સિંહ કૃતિએ વાઇરલ કરેલ વીડિયોમાં હોસ્પિટલનો કર્મચારી એવો દાવો કરે છે કે, હું સુશાંતના મૃતદેહને કૂપર હોસ્પિટલ અને પછી સ્મશાન ઘાટમાં લઈ ગયો હતો. રિયા ચક્રવર્તી મૃત શરીર જોવા આવી હતી એ વિશે પણ આ કર્મચારીએ વાત કરી છે. કર્મચારી એ કહ્યું કે, બે વ્યક્તિના કહેવા પછી મે રિયા ચક્રવતીને આ બોડી બતાવી હતી અને રિયાએ ત્યાં સુશાંતની માફી માગી હતી. હોસ્પિટલના કર્મચારીનો દાવો છે કે મોટા ડોકટરો પણ કહેતા હતા કે આ આત્મહત્યા નથી હત્યા છે. કર્મચારીએ આ મુલાકાતમાં જણાવ્યું કે અમે કોઈ પણ બોડીને જોઈએ તો ખબર પડી જાય કે હત્યા છે કે આત્મહત્યા, ક્યારેય બોડી પીળી ન પડે. જ્યારે આમાં તો બોડી પીળી પડી ગઈ અને પગ પણ ભાંગેલા જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *