અમદાવાદના કુબેરનગરમાં મોડી રાત્રે બે માળનું મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત

અમદાવાદમાં આવેલ કુબેરનગરમાં મોડીરાત્રે બે માળનું મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. અમદાવાદના કુબેરનગરમાં આવેલું બે માળનું મકાન જર્જરિત હાલતમાં હોવાથી વરસાદી માહોલને કારણે મકાન ધરાશાયી થતાં મકાનના કાટમાળ નીચે બે થી ત્રણ લોકો દબાઈ ગયા હતા.

ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. મકાનના કાટમાળમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. આ મકાન જર્જરિત હાલતમાં જ હતું.ફાયર બ્રિગેડ દ્વારા સતત પાંચ કલાક કરતા વધુ સમય બચાવ કામગીરી ચાલી હતી. જેમાં બે લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. તેમજ એક વ્યક્તિનું કાટમાળ નીચે દબાઈ જવાથી મોત નિપજ્યું છે. આ મકાન ધરાશાયી થતા આસપાસના રહેવાસીઓમાં ફફડાટ ફેલાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *