અંબાજી મંદિર ટ્રસ્ટે બદલ્યો નિર્ણય, 2 સપ્ટેમ્બર સુધી મંદિર રહેશે બંધ

અંબાજી જતા ભાવિક ભક્તો માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. કોરોનાની મહામારી ને કારણે અંબાજી મંદિરના દ્વાર શ્રદ્ધાળુઓ માટે તો બંધ કરવામાં આવ્યા છે. અંબાજી મંદિર દ્રસ્ટ દ્વારા અગાઉ મંદિરના કપાટ 4 સપ્ટેમ્બર સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ અંબાજી મંદિર ના ટ્રસ્ટ દ્વારા આ નિર્ણયમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે અંબાજી મંદિર 4 સપ્ટેમ્બર સુધી નહીં, પરંતુ 2 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. ત્યારબાદ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે. ભાવિક ભક્તો માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે.

ભાદરવા માસના પ્રારંભથી ભાદરવી પૂનમના મેળા માટે પદયાત્રીઓનું આગમન શક્તિપીઠ અંબાજી ખાતે શરૂ થઇ જાય છે. પરંતુ કોરોના મહામારીને પગલે આ વખતે 24 ઓગસ્ટ સોમવારથી 2 સપ્ટેમ્બર એમ 10 દિવસ સુધી અંબાજી મંદિર તથા ગબ્બરના દર્શન બંધ રહેશે. ભાવિક ભક્તોની લાગણી દુભાઇ નહી તેના માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ઓનલાઇન દર્શન કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અંબાજી મંદિરની હવન શાળામાં સહસ્ત્ર નવચંડી યજ્ઞ યોજાશે. શ્રદ્ધાળુઓની સગવડતા માટે યાત્રાળુઓને ઘરે બેઠાં ઓનલાઇન માતાજીના દર્શન-ગબ્બર દર્શન, યજ્ઞા દર્શન કરાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ભાદરવી પૂનમના મહામેળામાં દર વર્ષે 25 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અંબાજી ખાતે  દર્શન માટે આવતા હોય છે.પરંતુ આ વર્ષે કોરોનની મહામારી ને કારણે સરકારે  જાહેર કરેલી ‘અનલોક-3’ની ગાઇડલાઇન પ્રમાણે 24 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેળો 300 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર યોજાશે નહીં. વર્તમાન સંજોગોને પગલે અંબાજી મંદિરની સાથે પગપાળા સંઘો-સેવા કેમ્પો-શોભા યાત્રા સહિતની પ્રવૃત્તિઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગત રવિવારે શક્તિપીઠ અંબાજીના દ્વાર ભક્તો માટે બંધ કરવામાં આવ્યા છે. રવિવારે રાત્રે મંદિરના કપાટ બંધ કરી દેવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *