સોનુ સૂદે કરી મહત્વની જાહેરાત , 20,000 શ્રમિકોને આપશે ઘર

બોલીવુડ એક્ટર સોનૂ સૂદે સોમવારે મહત્વની જાહેરાત કરી હતી. આ જાહેરાત માં તે 20,000 પ્રવાસી શ્રમિકોને નોયડામાં આવાસ પ્રદાન કરવાના છે. સોનું સૂદે વધુમાં જણાવ્યુ હતું કે, શ્રમિકોના રહેઠાણના નજીકના ક્ષેત્રોમાં કપડાની ફેક્ટરીમાં પણ રોજગાર પ્રદાન કરવામાં આવ્યો છે.

એક્ટર સોનું સોનૂએ કહ્યું હતું કે, મને ખુશી છે કે હવે હું 20,000 પ્રવાસી શ્રમિકોને  ઘર આપવાની તજવીજમાં છું.પ્રવાસી રોજગારના માધ્યમથી નોયડામાં કપડાંની ફેકટરીઓમાં નોકરી પણ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, એક માસ પહેલા જ સોનું સુદે શ્રમિકો માટે રોજગાર મળે તે માટે એક પ્રવાસી રોજગાર નામનું પોર્ટલ શરૂ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *