સોમનાથ મંદિરે શ્રદ્ધાળુઓ પર પોલીસે કર્યો લાઠીચાર્જ,મંદિરમાં સોશિયલ ડિસ્ટિંસિંગનો અભાવ

covid-19 મહામારી વચ્ચે આજથી શ્રાવણ માસનો શુભારંભ થયો છે, જેના કારણે શિવાલયો અને મંદિરોમાં ભોલેનાથના સૂરો ગૂંજી રહ્યા છે. હાલ કોરોનાના કારણે અનેક મોટા મંદિરોમાં લોકોને ભીડ ભેગી ન કરવા અને શિવલિંગ પર અભિષેક અને બિલીપત્ર ચઢાવવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. સોમનાથ મંદિર માંપણ અગાઉથી કોરોના માટેની ગાઈડલાઈન જાહેર કરીને લોકોને ભીડ ન કરવા જણાવાયું હતું. પરંતુ આજે સોમનાથ દાદાના મંદિરે ભક્તોની મોટી મોટી લાઈનો જોવા મળી હતી. જેના કારણે અસ્તવ્યસ્તા અને સોશિયલ ડિસ્ટિંસિંગના લીરેલીરા ઉડતા પોલીસને હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

સોમનાથ મંદિરમાં લાંબી લાઈનો થતા ધક્કામુક્કીના દ્રશ્યો જોવા મળ્યા હતા. જેથી પોલીસે ભક્તો પર લાઠીચાર્જ કર્યો હતો. લાઠીચાર્જ થતાં ભક્તોમાં રોષ ફાટી નીકળ્યો હતો. જેના કારણે પોલીસ અને ભક્તો વચ્ચે થોડી રકઝક થઈ હતી.

કોવિડ-19 ગાઈડલાઈનના ચુસ્ત પાલન માટેના ટ્રસ્ટના અને તંત્રના દાવા પોકળ સાબિત થયા છે. સોમનાથ દાદાના મંદિરમાં સોશિયલ ડિસ્ટિંસિંગનું પાલન કરાવવા જતા પોલીસ અને દર્શનાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે શ્રદ્ધાળુઓ પર લાઠીચાર્જ. તો રોષે ભરાયેલા ભક્તોએ પોલીસને પણ તમાચો મારી દીધો હતો. જેને લઈને વધારે પરિસ્થિતિ ઉગ્ર બની હતી.

સોમનાથ મંદિરમાં આજે અમુક ભક્તોએ માસ્ક પણ નહોતા પહેર્યા, અને સોશિયલ ડિસ્ટિંસિંગનું પાલન કરવામાં આવી રહ્યું નથી. સોમનાથ ટ્રસ્ટ અને સ્થાનિક તંત્ર મુકપ્રેક્ષક બનીને તમાસો જોઈ રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, શ્રાવણ માસમાં ગુજરાતના જાણીતા અને પ્રથમ જ્યોર્તિંલિંગ સોમનાથ મંદિરના સમયમા ફેરફાર કરાયો છે. દર્શનાર્થીઓ સરળતાથી દર્શન કરી શકે તેના માટે આ નિર્ણય લેવાયો છે. શનિવાર, રવિવાર અને સોમવારના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. શ્રાવણ મહિનામાં મંદિર સવારે 6. 30 ના બદલે 6 વાગ્યે ખોલવામાં આવશે. તો સાંજે 7.30 ના બદલે 9.15 સુધી મંદિર ખુલ્લુ રખાશે. જેથી ભક્તો વધુ સમય લાભ લઈ શકે.

પવિત્ર શ્રાવણ માસને ધ્યાનમાં રાખીને શનિવાર, રવિવાર અને સોમવારે સવારે 6:00 થી 6:30 અને સાંજે 7:30થી 09:15 સુધી વિશેષ દર્શનનો સમય રહેશે. સામાન્ય દિવસોમાં સવારે 7:30 થી 11:30 અને બપોરે 12:30 થી 6:30 વાગ્યા સુધી દર્શન કરી શકાશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *