મહારાષ્ટ્ર માં રાજ ઠાકરે એ “ભાજપ મુક્ત ભારત” નો નારો આપ્યો,તમામ વિપક્ષોને સાથે આવવા અપીલ

સમગ્ર ભારત દેશભરમાં ઉભી થયેલી મોદી વિરોધી લહેરની વચ્ચે મહારાષ્ટ્ર ના નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે એ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. જેમાં એમએનએસ નેતા રાજ ઠાકરે એ ૨૦૧૯માં મોદી મુક્ત ભારત બનાવવાનું આહવાન કર્યું છે. આ ઉપરાંત તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે નીરવ મોદીના મામલાને દબાવવા માટે ભાજપે શ્રી દેવીના મોતના મામલાને વધારે ચગાવ્યો હતો. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ ૨૦૧૯માં મોદી મુક્ત ભારત બનાવવા તમામ વિપક્ષી દળોને સાથે આવવા માટે આહવાન કર્યું છે.

રાજ ઠાકરેએ મધ્ય મુંબઈમાં શિવાજી પાર્કમાં એક રેલીમાં પાર્ટીના કાર્યકર્તાઓને કહ્યુ કે, નરેન્દ્ર મોદી અને તેમની સરકારના ખોટા વચનોથી દેશવાસીઓ ત્રાસી ગયા છે. મોદી મુક્ત ભારત બનાવવા ભાજપ નેતૃત્વવાળી એનડીએ સરકારને ચલાવવા માટે તમામ વિપક્ષી દળોને એક સાથે આવવુ જોઈએ. તેમના મોદી મુક્ત ભારતનો સૂત્ર ભાજપના કોંગ્રેસ મુક્ત ભારતના સૂત્રની યાદ અપાવે છે.વધુમાં રાજઠાકરે એ બોલીવૂડ ની અભિનેત્રી શ્રીદેવીના દેહને ત્રિરંગામાં લપેટવા મામલે નિવેદન આપ્યું હતું કે શ્રીદેવી એક શાનદાર અભિનેત્રી હતી પરંતુ તેમણે દેશ માટે એવું શું કર્યુ હતુ કે, તેમના પાર્થિવ દેહને તિરંગામાં લપેટાયો હતો. ત્યારબાદ ઠાકરેએ કહ્યુ કે, મીડિયાએ નીરવ મોદી-પંજાબ નેશનલ બેંક કૌભાંડથી લોકોનું ધ્યાન હટાવવા સરકારના ઈશારાથી અભિનેત્રીના અંત્યેષ્ટીનું વધુ કવરેજ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *