અફઘાનિસ્તાન અને મ્યાનમાર યુએનની સામાન્ય સભાને સંબોધન કરશે નહીં

યુનાઇટેડ નેશન્સની સોમવારે યોજાયેલી સામાન્ય સભાની ઉચ્ચ સ્તરીય ચર્ચાને અફઘાનિસ્તાન અને મ્યાનમાર સંબોધન કરશે નહીં કેમ કે આ વૈશ્વંક સંગઠનની 76મી સામાન્ય સભાની મિટિંગમાં સંબોધન કરનારા પ્રવક્તા દેશોની યાદીમાંથી આ બંને દેશોને બાકાત રાખવામાં આવ્યા હતા. યુનાઇટેડ નેશન્સની 76મી સામાન્ય સભાની સામાન્ય ચર્ચાના છેલ્લા દિવસે પ્રવક્તા દેશોની જે સયાદી તૈયાર થઇ હતી તેમાં અફઘાનિસ્તાન અને મ્યાનમારને સ્થાન આપવામાં આવ્યું નહોતુ. શુક્રવારે યુએનના જનરલ સેક્રેટરી એન્ટોનિયો ગુટરેસના પ્રવક્તા સ્ટિફન દુજારિકે કહ્યું હતું કે હાલ તો યાદીમાં અફઘાનિસ્તાનનું પ્રતિનિધિત્વ કરનાર તરીકે ગુલામ ઇસાકઝાઇનું નામ દર્શાવવામાં આવ્યું છે.બીજીબાજુ મ્યાનમારમાં થયેલા લશ્કરી બલવાના પગલે દેશના લશ્કરી શાસકોએ યુએન ખાતેના મ્યાનમારના રાજદૂતને ફરજમાંથી મુક્ત કરવાનો અને તેમના સ્થાને નવા રાજદૂતની નિમણૂક કરવાનો આદેશ કર્યો હતો. ગત સપ્તાહે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે યુએનના જનરલ સેક્રેટરી એન્ટોનિયો ગુટરેસને લેખિત જાણ કરી હતી કે યુએન ખાતે અફઘાનિસ્તાનના રાજદૂત કરીતે તેઓના પ્રવક્તા સુહૈલ શાહીનની નિમણૂક કરવામાં આવી હોઇ તેને યુએનની સામાન્ય સભામાં સંબોધન આપવાની પણ તાકીદ કરાઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *