રાજકોટ શહેર માં આવેલા ઈમિટેશન જ્વેલરી ના બિઝનેસમાં અમાનવીય રીતે રહેતા અને કામ કરવા મજબૂર 8 થી 14 વર્ષની ઉંમરના લગભગ 27 બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. આ બાળકોને પશ્ચિમ બંગાળથી અહીં લાવવામાં આવ્યા હતા. સોમવારના રોજ સંત કબિર રોડ પર આવેલી રાજારામ સોસાયટીમાં રહેતા સિકંદર શેખ અને તેની પત્ની પાકિઝાના ઘરેથી બે બાળકો ભાગી છુટ્યા હતા, જેમને કારણે આખા રેકેટનો પર્દાફાશ થયો છે. આ બાળકો ભાગીને જૂનાગઢ પહોંચ્યા હતા. તેમનો આરોપ છે કે, પાકિઝા તેમની સાથે મારપીટ કરતી હતી અને દિવસો સુધી જમવાનું પણ નહોતી આપતી.
રાજકોટ માં ગવર્નમેન્ટ રેલવે પોલીસ ની માહિતી દ્વારા આ બન્ને બાળકોને સ્થાનિક લોકલ ચાઈલ્ડ વેલ્ફેર કમિટીને સોંપવામાં આવ્યા છે. બાળકોએ પોતાની ઈજાના નિશાન પણ પોલીસને બતાવ્યા હતા. ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચીફ રમિલા કથિરીયાએ પાકિઝા અને તેના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જો કે રેલવે કોર્ટ દ્વારા તેમને જામીન પણ આપી દેવામાં આવ્યા છે. સિકંદર અને પાકિઝા પશ્ચિમ બંગાળના વતની છે, પરંતુ વર્ષોથી રાજકોટમાં રહીને ઈમિટેશન જ્વેલરી યુનિટ્સ માટે કામ કરે છે.
આ બે બાળકોએ આપેલી માહિતીના આધારે રાજકોટના DCP બલરામ મીના સોશિયલ જસ્ટીસ એન્ડ એમ્પાવરમેન્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ કાંક્ષિન ઝાલાએ સિકંદરના ઘરે દરોડા પાડ્યા હતા અને અન્ય 25 બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર સિંકદર અને પાકિઝા વિરુદ્ધ બુધવારના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવશે. જે ઈમિટેશન જૂલરી યુનિટમાં આ લોકો કામ કરતા હતા તેની માલિકી દિલીપ રામાણી નામની વ્યક્તિ અને તેના પાર્ટનર્સની છે, તેમની પણ આ બાબતે પૂછપરછ કરવામાં આવશે.
બાળકોના જણાવ્યા અનુસાર તેમની પાસે અનેક જોખમી કામ કરાવાવમાં આવતા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સિકંદર અને તેની પત્ની ગરીબ પરિવારોને લાલચ આપતા કે તેમના બાળકોને કામ કરવાના મહિનાના 5000 રુપિયા મળશે. આ 5000માંથી તે લગભગ 3000-3500 રુપિયા ખાણી-પીણી અને રહેવાના ખર્ચના નામે પોતે લઈ લેતા. અમુક બાળકો દિવસના 14 કલાક કામ કરતા હતા. બાળકોનું કહેવું છે કે, બંગાળથી કુલ 70 બાળકોને અહીં કામ માટે લાવાવમાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રાજકોટ ઈમિટેશન જ્વેલરીનું હબ ગણાય છે. ઈન્ડસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા અનુસાર, અહીં 1000 કરતા વધારે ઈમિટેશન જ્વેલરી ના યુનિટ્સ છે, અને તેનાથી લગભગ 2.5 લોકોને રોજગાર મળે છે.
