રાજકોટ જિલ્લાનાં ૬૦૦ જેટલા ગામડાઓમાં કોરોનાનાં કેસ વધ્યા

કોરોના રાજકોટ શહેરમાં થોડો હળવો પડયો હોય તેવું સરકારી આંકડા પરથી લાગી રહયુ છે પરંતુ ગામડાઓમાં કોરોનાનો ખોફ યથાવત છે. રાજકોટ જિલ્લાનાં ૬૦૦ જેટલા ગામડાઓમાંથી મોટાભાગનાં ગામમાં કોરોનાનાં કેસ અને મૃત્યુઆંક વધી રહયો છે કેટલાક પોકેટ એવા છે કે કોરોના બ્લાસ્ટ થયો છે એકાએક આ ગામમાં લોકો ટપોટપ મોતને ભેટી રહયા હોય ગામ લોકોમાં ભારે ફફડાટ ઉભો થયો છે. સરધાર, પડધરીનાં થોરીયાળી – ખોડાપીપર અને જેતપુરનાં પાંચપીપળવા ગામમાં કોરોનાએ મોતનું તાંડવ ખેલ્યુ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *